Popular Posts

GUJRAT VYAKRAN

 

વાક્યમાં મુખ્યત્વે ત્રણ પદ હોય છે .

   કર્તા  , કર્મ   ,અને ક્રિયાપદ 

 

    આ ત્રણેની પ્રધાનતા ના આધારે  વાક્ય ના ત્રણ પ્રકાર પાડી શકાય .

 

1 કર્તરિ    2   કર્મણિ    3  ભાવે પ્ર્યોગ 

 

Ø કર્તરી વાક્ય પ્રયોગ

 

    જેમાં કર્તાની પ્રધાનતા હોય.............

   કર્તાનાં  લીંગ વચન પ્રમાણે વાક્યના અંગ કામ કરતા હોય........

  કર્તાની પ્રધાનતા એટલે જે ક્રિયા કરે છે તેની સક્રીયતા, તેનું કાર્ય મુખ્ય હોય 



Øરમેશ સાયકલ લઇને નીક્ળ્યો છે.

Ø જુમો હોકો ગગડાવ્યા કરતોવેણુ દોડવા લાગ્યો.

Ø મહાનલે એક  ચિનગારી આપી .

Ø જુમો સવારના પાંચ વાગ્યાનો નીકળ્યો.

Ø તેણે મોટેથી બુમ પાડી .

Ø કોઈ દાંત વિના ખાઈ શકે ખરું ?

Ø તે મારી સામે ઘસી આવ્યો .

Ø રામ વનમાં ગયા .

Ø આજે હું ગ્યો હતો.


 

 

 

Ø કર્મણી વાક્ય પ્રયોગ

 

     જેમાં કર્મની પ્રધાનતા હોય..........

    કર્મના લિંગ ,વચન પ્રમાણે વાક્ય ના અંગ કામ કરતા હોય 

 

   કર્મની પ્રધાનતા  એટલે જે ક્રિયા કરે છે ,તેની સક્રિયતા ,તેનું કાર્ય મુખ્ય હોય .....

   આ પ્રયોગમાં ઘણીવાર કર્તા અદ્રશ્ય હોય છે એટલે કે તેમનો લોપ થયો હોય     છે .

 

Ø પ્રમોદરાય વડે કશો જવાબ અપાયો નહીં .

Ø જુમાં થી શોખ ખાતર એક પાડો પળાયો .

Ø જુમા થી એક પૈસા ના  ગાજર ખરીદાયા 

Ø લાકડી વગર કંઈ ચલાય ?

Ø વેણુ થી ગદબ ખાતા ખાતા અવાતું .

Ø તેઓથી સુદામાને  ભેટી પડાયું

Ø શિક્ષકથી વિદ્યાર્થીઓને  સમજાવાયું 

Ø મારાથી વાતમાં સૂર પુરાયો.

Ø ચારણ થી કુવર ને તલવાર મરાઇ.

 

    ભાવે પ્રયોગ

    જે વાક્યમાં ક્રિયાપદ ની પ્રધાનતા હોય.......

    આ પ્રયોગમાં ક્રિયાપદનું અકર્મક સ્વરૂપ વપરાતા અકર્મક વાક્યરચના બને છે

Ø પાડા થી રસ્તા તરફ દોડાયું .

Ø તેનાથી મોટેથી બૂમ પડાઈ .

Ø જુમ્મા અને પણ વેણુથી  ફરવા નીકળાયું 


Ø રામથી વનમાં જવાયું .

Ø મારાથી આ કાર્ય કરાયું .

         પ્રેરક વાક્ય રચના 

 

 

 

 


મૂળ સાદી વાક્ય રચનામાં જ્યારે નવો પ્રેરણા આપનાર કર્તા ઉમેરાઈ ત્યારે તે પ્રેરક વાક્ય કહેવાય છે 

હું ક્રિયાપદમાં  ફિયા માટે પ્રેરવા નો અર્થ હોય છે 

 

   જેમકે - બાળક ખાય છે (સાદુ વાક્ય )

    માતા બાળકને  ખવડાવે છે(પ્રેરક વાક્ય રચના)

 

  કેટલીકવાર પુનપ્રેરક સ્વરૂપ  હજી બીજો નવો કર્તા પણ લાવી શકાય છે 

 

ઉદાહરણ  .માતા દીકરી પાસે બાળકને  ખવરાવરાવે  છે 

 

વિદ્યાર્થીમિત્રો હવે આપણી આ વાક્ય રચનાઓનું પરિવર્તન જોઈએ 

Ø સૌપ્રથમ આપણે કર્તરી વાક્ય નું પરિવર્તન જોઈએ 

            કર્તરી વાક્ય માં કરતા મુખ્ય હોય છે તે સક્રિય હોય છે 

 

  પ્રમોદરાય વડે  કશો જવાબ અપાયો નહીં. 

   જુમાએ  શોખ ખાતર એક પાડો પાળાયો.

 

    આ વાક્યનું પરિવર્તન કરીએ

1.  પ્રમોદરાય એ કશો જવાબ આપ્યો નહીં .

2.  જુમાએ શોખ ખાતર એક પાડો પાળ્યો.

 

પહેલી વાત શીખવાની કે કર્તાની સાથે આવતા થી, માંથી, વડે જેવા અનુગ અને નામયોગી ને દૂર કરવા અને કર્તાની સાથે શુન્ય પ્રત્યય જોડવો તેમજ કર્તાના પ્રમાણે ક્રિયાપદ પણ યોગ્ય રીતે મૂકવું 

 

1 તેઓથી સુદામાની ભેટી પડાયું   2.   તેમનાથી વિદ્યાર્થીઓને સમજાવાયું 

         3  મારાથી વાતમાં સૂર પુરાયો          4 અમારાથી રડી પડાયું 

 

તેઓ સુદામાને  ભેટી પડ્યા               તેમણે વિદ્યાર્થીઓને  સમજાવ્યું

 

મેં વાતમાં સૂર પુર્યો                 

અમે રડી પડ્યા 

 

અહીં બીજી વાત શીખ્યા જેમકે  મારાથી -  હું - મેં 

                                                            તારાથી - તું 

 

                                                                            અમારાથી - અમે 

                                                                            તેઓનાથી- તેઓ, તે 

                                                                            તેમનાથી -   તેમણે

 

    તે સિવાય ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકવું 

Ø હવે કર્મણી વાક્ય નું પરિવર્તન જોઈએ 

1 મહાનલ એ એક ચિનગારી આપી        2 જુમો સવારનો પાંચ વાગ્યાનો                                                           નીકળ્યો 

3 તેણે મોટે થી બુમ પાડી                      4 કોઈ દાંત વિના ખાઈ શકે ખરું 

5 તે મારી સામે ઘસી આવ્યો                   6 રામ વનમાં ગયા

7. આજે હું ગયો હતો.

   

  આ વાક્યમાં કર્મોની પ્રધાનતા હોય  તેથી કર્તા  ગૌણ બની જાય છે   .આપણે      કર્તાની  સાથે આવેલા એ ,   પ્રત્યેય ને કાઢી  થીમાંથી, વડે લગાવીશું

 

      જેમકે   મહાનલે - મહાનલ થી               જુમો -  જુમા થી

            તેણે-  તેનાથી                          કોઈ -  કોઈનાથી             

            તે-  તેનાથી                             રામ -રામથી 

             હું -  મારાથી 

 

    એ ઉપરાંત ક્રિયાપદનું આધાર મુખ્ય છે એ ધ્યાનમાં રાખવું પડશે 

    જેમકે    

   આપી -અપાઇ

    પાડી -પડાઈ   

   આવ્યો -અવાયું 

   ગયો - જવાયું 

   નીકળ્યો -નિકુળાયું

 

Ø હવે જોઈએ ભાવે પ્રયોગ

 

    જે વાક્યમાં ક્રિયાપદ ની પ્રધાનતા હોય 

 

   આ પ્રયોગમાં ક્રિયાપદનું અકર્મક સ્વરૂપ વપરાતા  અકર્મક વાક્યરચના બને છે . અહીં ક્રિયાપદનું આ પ્રત્યય રૂપે વપરાય છે 

 

   પાડા થી રસ્તા તરફ દોડાયું 

   સુરેશ થી ઝટ તરાયું.

    જુમા અને વેણૂંથી ફરવા નીકળાયું 

  જુમા થી બેઠા થવાયું 

   રામથી વનમાં જવાયું 

   મારાથી આ કાર્ય કરાયું 

 

  પ્રેરક  વાક્ય જોઈએ

 

   વિદ્યાર્થીએ વાર્તા કહી

   શિક્ષકે વિદ્યાર્થી પાસે વાર્તા કહેવડાવી

 

   રમેશે પાણી પીધું

   માએ રમેશને  પાણી પીવડાવ્યું 

No comments:

Post a Comment