*આચાર્ય રામમૂર્તિ સમિતિ (1990)*
વર્ષ 1989માં સંયુક્ત મોરચાની સરકાર કેન્દ્રમાં સત્તા પર આવી.
તેના દ્વારા રાષ્ટ્રીય શિક્ષણનીતિ-1986માં સંશોધન કરવાની કવાયત
શરૂ કરી તેના માટે આચાર્ય રામમૂર્તિ સમિતિના અધ્યક્ષતામાં એક |
સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિ સામે ત્રણ મુખ્ય વિષય
વિચારણા માટે રજૂ કરવામાં આવ્યા. (1) ઈ.સ. 1986ની રાષ્ટ્રીય |
શિક્ષણનીતિ અને તેના ક્રિયાન્વયનની સમીક્ષા કરવી. (2) નીતિમાં
સુધારા-વધારા માટે જરૂરી ભલામણો કરવી. (3) સંશોધિત નીતિના
કાર્યાન્વયન માટે સમયબદ્ધ યોજના બનાવવી. આ સમિતિ દ્વારા
કરવામાં આવેલી ભલામણો નીચે મુજબ છે:
(1) પછાતવર્ગના લોકોના શિક્ષણ માટે કાર્યક્રમ બનાવવો અને તેના
પર જરૂરી ખર્ચ કરવો.
(2) શિક્ષણમાં મોડ્યુલ તથા સેમિસ્ટર પદ્ધતિ અપનાવવી.
(3) તમામ પ્રકારની સામાજિક-આર્થિક અસમાનતાઓ દૂર કરવા
ખાનગી શાળાઓને પણ સામાન્ય વિદ્યાલયના માળખામાં
સમાવી લેવા.

No comments:
Post a Comment