Popular Posts

નાનકડી કથાઓ સ્પેશલ વેકેશન માટે હકારાત્મક કથાઓ

*નાનકડી કથા-૧..*

માતાનાં નામે હતી તે જગ્યા પોતાના નામે કરી લેવાની ઈચ્છાથી બંને ભાઈઓ મા પોતાના ઘરે રહે, તે બાબતને લઈને બંને ભાઈઓ ઝઘડવા લાગ્યા..
તેઓએ માને પૂછ્યું તો માએ કહ્યું, હું જે ત્રણ ગોળીઓ લઉ છું, તેના નામ જે બતાવી આપે, તેના ઘરે હું જઈશ.. . બંને ભાઈઓ નીચું જોઈ ગયા..

*નાનકડી કથા-૨..*

ભણવા માટે દૂર ગયેલા દીકરાએ માતાને પત્ર લખ્યો કે અહિંયા મારાં જમવાની સારી સગવડ છે, તું ચિંતા કરીશ નહીં..
પત્ર વાંચીને મા એ એક વખતનું ભોજન બંધ કર્યું, કેમ કે પત્રના અંતમાં પુત્રનાં આંસુથી શાહી બગડેલી હતી..

*નાનકડી કથા-૩..*

દાદાની લાકડી પકડીને દાદાને લઈ જતા પૌત્રને જોઈ લોકો બોલ્યા : જોજે, ધીમે ધીમે.. . દાદા પડી ન જાય..
દાદા હસીને બોલ્યા, હું કંઈ પડતો હોય, મારી પાસે બે લાકડીઓ છે..

*નાનકડી કથા-૪..*

કેરીનાં ઝાડ પર ચઢીને કેરીને ચોરતા છોકરાંની પીઠ પર  રખેવાળે લાકડી મારી અને તેને બીવડાવવા માટે થોડી વાર માટે ઝાડના થડ સાથે બાંધી ૫ણ દીધો..
કોણ જાણે કેમ એ ઝાડને ફરી કદીયે ફળ આવ્યાં નહિં..

*નાનકડી કથા-૫..*

ઓફિસથી થાકેલા પિતાએ આવીને દાદીના પગ દબાવ્યા, તે જોઈને રાત્રે દિકરીએ પિતાજીના પીઠ પર માલીશ કર્યું..
આ જોઈએ દાદી બોલ્યાં: થાળીમાંથી વાટકીમાં અને વાટકીમાંથી થાળીમાં..

*નાનકડી કથા-૬..*

પિતાજીના ગયાં પછી સંપત્તિની વહેંચણી કર્યા બાદ ઘરડી માને પોતાના ઘરે લઈ જતી દીકરી બોલી: હું ખૂબ નસીબદાર છું, મારા ભાગે તો જીવન આવ્યું છે..

*નાનકડી કથા-૭..*

ગઈકાલે મારો છોકરો મને કહે : પિતાજી હું તમને છોડીને ક્યારેય નહીં જાઉં, કેમકે તમે પણ કદી દાદા દાદીને છોડીને ગયા નથી..
આ સાંભળીને મને મારા વડીલોની મિલકત મળી ગયાંનો આનંદ થયો..

*નાનકડી કથા-૮..*

તેના પતિના મિત્ર હોસ્પિટલમાં મળવા આવ્યા.. . જતા જતા પરાણે ₹૫૦૦૦/- તેના હાથમાં આપ્યા અને કહ્યું લગ્નમાં બહેન ને દક્ષિણા આપવાની રહી ગઈ હતી..
તે દિવસે મળેલી બધી ભેટોમાં આ શ્રેષ્ઠ હતી..

*નાનકડી કથા-૯..*

આજે ઓફિસથી છૂટીને ભેળ ખાવાની બહુ ઈચ્છા હતી,
પણ સાસુજીને મંદિર જવાનું મોડું થાય તેથી ઘરે જલ્દી પહોંચી ગઈ.. . જઈને જેવી રસોડામાં ગઈ તો સાસુજીએ કહ્યું: ચાલ જલ્દી હાથ પગ ધોઈ લે, કેરી નાખીને ભેળ બનાવી છે.. . ઘણાં દિવસથી મને ખાવાનું મન હતું..

*નાનકડી કથા-૧૦..*

સાંજના સમયે સુમતીબેન માળા ફેરવતા હતા, ત્યાં છોકરો નોકરીએ થી ઘરે આવ્યો, તેની સાથે મોગરાના ફૂલની સુગંધ આવી.. . તેને થયું આજે વહુ મોગરાનો ગજરો હમણાં માથાંમાં નાખીને આવશે.. .
પણ ત્યાં તો તેણે જોયું કે કૃષ્ણ ભગવાન માટે થાળીમાં મોગરાના ફૂલ હતાં..
ભગવાન પણ ગાલમાં હસતાં હતાં..

*હકારાત્મક વિચારો.. .*

અત્યારે આ કોરોનાના સમયમાં નકારાત્મક વિચારો એટલા ફેલાઈ રહ્યા છે કે લોકોને સારાપણાં પરથી વિશ્ર્વાસ ઉઠી જાય છે..
આવાં સમયે આવી હકારાત્મક કથાઓ વધારે ને વધારે લોકો સુધી પહોંચવી જોઈએ..


                🌼🙏🏻🌼

No comments:

Post a Comment